પંચાયતી રાજની સ્થાપના ગુજરાતમાં ઈ.સ. ૧૯૬૩માં થઈ ત્યારથી જિલ્લા પંચાયતની વિવિધ પંચાયત સેવા પ્રવ્રુતિઓની કામગીરી તેની વિવિધ શાખાઓ દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ત્યારબાદ સને ૧૯૭૭થી રાજ્યમાં નાની સિંચાઈ યોજના અંગેની કામગીરી માટે પંચાયત સિંચાઈ વિભાગનું માળખુ તૈયાર કરી નાની સિંચાઈ યોજનાને લગતી તમામ કામગીરી પંચાયત સિંચાઈ વિભાગને સોંપવામાં આવે છે.
જિલ્લા મથકે પંચાયત સિંચાઈ વિભાગ,ભાવનગર હસ્તક તથા જિલ્લાના ૧૦ તાલુકામાં થઈને કુલ ૪ (ચાર)પેટા વિભાગ તથા એક વિભાગીય કચેરી આવેલ છે, જે નાની સિંચાઈ યોજનાની કામગીરી માટે કાર્યરત છે.આ વિભાગ દ્વારા ૯૬૮૦ હેક્ટર સિંચાઈ શક્તિ સુધીની નવી નાની સિંચાઈ યોજનાઓ બનાવવા ઉપરાંત હયાત નાનીસિંચાઈ યોજનાની જાળવણી અને મરામતની કામગીરી,સદરહું કામો માટે જમીન સંપાદિત કરી ખેડૂતોને સિંચાઈ માટે મહત્તમ ઉપયોગી થવા માટે યોજનાઓ પુરી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવે છે.
આ વિભાગ દ્વારા બાંધવામાં આવેલ ચેકડેમ તથા અનુશ્રવણ તળાવોના મરામતની કામગીરી તેમજ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી સદસ્યશ્રી દ્વારા સુચવાયેલ તથા સદસ્યશ્રી દ્વારા સરકારના સદરનાં સુચવેલ યોજનાકીય/ચેકડેમ/અનુશ્રવણ તળાવના મરામત માટેના કાર્યો પેટા વિભાગીય અધિકારીશ્રીઓ દ્વારા સર્વે કરી જરૂરીયાત મુજબના નમૂનામાં દરખાસ્તો બનાવી સરકારશ્રીમાં સૈધ્ધાંતિક મંજૂરી અર્થે મોકલવામાં આવે છે. તથા સૈધ્ધાંતિક મંજૂરી મળ્યે તે કાર્યો હાથ ઉપર લેવામાં આવે છે.
હાલમાં, ગુજરાત સરકારશ્રીનાં સમગ્ર રાજ્યના જળ સંચયના વ્યાપ વધારવાના અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા ભાવનગર જિલ્લામાં ઉક્ત યોજના અંતર્ગત વર્ષ ૨૦૧૯,૨૦૨૦,૨૦૨૧ અંતર્ગત કુલ ૩૮ નાની સિંચાઈ યોજના ના કામો, ૩૮૨ ચેકડેમ, ૬૩૫ તળાવો ૭૭, ચેકડેમ રીપેરીંગ તથા ૮ નદી સાફ સફાઈ ના કામો હાથ ધરવામા આવેલ. જેથી વર્ષ-૨૦૧૯ મા ૧૭૭.૬૭ કરોડ લિટર વર્ષ-૨૦૨૦ મા ૯૪.૨૧ કરોડ લિટર અને વર્ષ-૨૦૨૧ મા ૨૦૮ કરોડ લિટર પાણી ની સંગ્રહશકિત મા વધારો થયેલ છે. સુજલામ સુફલામ જળ અભિયાન વર્ષ ૨૦૨૨ અંતર્ગત કુલ ૭૭૧ કામોનું આયોજન કરવામાં આવેલ છે.જેથી કુલ ૪૭૭.૪૨ કરોડ લિટર પાણીની સંગ્રહ શક્તિમાં વધારો થશે.ઉકત કામગીરી બદલ જિલ્લા વહીવટી તંત્ર દ્રારા જળ સંચયના કામ ને બિરદાવવા જિલ્લા કલેકટરશ્રી દ્રારા વિભાગની સિંચાઈ ટીમને પ્રશંશા પત્ર એનાયત કરવામા આવેલ છે.
જિલ્લા પંચાયત હસ્તક ની સિંચાઈ યોજના થકી વર્ષ ૨૦૨૧-૨૨ મા આશરે ૧૪૦૦ હેકટર મા સિંચાઈ ની સવલત પુરી પાડવામા આવેલ છે.
હાલ પ્રધાનમંત્રી શ્રી દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ”ની ઉજવણી આઝાદી ના ૭૫ વર્ષને ઉજવાવનું આયોજન કરેલ છે.જે અન્વયે સમગ્ર દેશમાં અમૃત સરોવર બનનાવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તેમાં ભાવનગર જિલ્લા અંતર્ગત જળસંપતિના કુલ ૧૨૯ કામોનું આયોજન છે. જેમાથી કુલ ૧૩ કામો ૧૦૦% લોકભાગીદારીથી અજન્સીઓ દ્વારા હાથ ધરવામાં આવશે.
પંચાયત સિંચાઈ વિભાગ ભાવનગર હસ્તક આર.આર.આર યોજના અંતર્ગત મામસી નાની સિંચાઈ યોજના તા. ઘોધા અને ભદ્રોડી પીક અપ વિયર તા.જેસર ની કામગીરી હાથ ધરવામાં આવશે.