(૧) |
બી.પી.એલ. લાભાર્થી / એસ.સી./એસ.ટી. /લાભાર્થી ને રૂ. ૬૦૦ રોકડ સહાય આપવામાં આવે છે. |
(ર) |
સ્ત્રી નસબંધી એ.પી.એલ. ના લાભાર્થી ઓને રૂ.રપ૦ /- રોકડ સહાય આપવામાં આવે છે. |
(૩) |
પુરૂષ નસબંધી ઓપરેશન અપનાવાર તમામ પુરૂષ નસબંધી લાભાર્થીને રૂ.૧૧૦૦/- રોકડ સહાય આપવામાં આવે છે. |
(૪) |
સ્ત્રી નસબંધી ઓપરેશન તથા પુરૂષ નસબંધી અપનાર - લાભાર્થી લાવનાર ને એ.એન.એમ./ફીમેલ હેલ્થ વર્કર/ આંગણવાડી વર્કર/ આરોગ્ય ગ્રામમિત્ર /મલ્ટીપરપઝ હેલ્થ વર્કર અથવા અન્ય કોઈપણ ખાનગી મોટીવેટર અને બી.પી.એલ. નસબંધી કેસના રૂ.૧પ૦/- તેમજ એ.પી.એલ.લાભાર્થીના નસબંધી કેસના રૂ.૧પ૦/- તેમજ પુરૂષ નસબંધી કેસ લાવનાર ને રૂ.ર૦૦/- રોકડા મોટીવેટર ચાર્જના આપવામાં આવે છે. |
|
ભાવનગર જિલ્લા માં સને. ર૦૦૭-ર૦૦૮ ના વર્ષમાં સ્ત્રી નસબંધીના ૯ર૭ર કેસ થયેલ છે. પુરૂષ નસબંધી (એન.એસ.વી.) ૧૧૯ કેસ થયેલ છે. કુલ ૯૩૯૧ કેસ થયેલ છે. |
ઉપરોકત કાર્યકૂમ ને વેગ આપવા નીચેના મુદાઓ અમલમાં આવે તે ખુબ જ જરૂરી છે.
(૧) |
સદરહું પ્રોગામ ની લોકોમાં જાગૃતિ આવે તે ખુબ જ જરૂરી છે. |
(ર) |
૧૮ વર્ષની વય સુધી જ યુવતી ના લગ્ન થાય તે જરૂરી છે. તેથી નાની ઉંમરે લગ્ન ન થવા જોઈએ. |
(૩) |
પહેલુ બાળક લગ્નના ત્રણ વર્ષ સુધી ન થાય તે માટે નિરોધ અને મોઢાથી ગળવાની ગોળીઓનો ઉપયોગ કરવો અને બીજા બાળક વચ્ચે પણ આટલો જ ગાળો રાખવો. જે માતા અને બાળક ની બન્ને ની તંદુરસ્તી માટે જરૂરી છે. ત્યાર પછી કુટુંબ કલ્યાણ ની કાયમી પઘ્ધતિ - નસબંધી પઘ્ધતિ અપનાવવી. |
(૪) |
પુરૂષ નસબંધી(એન.એસ.વી.) ઓપરેશન સરળ પઘ્ધતિ છે. જેનાથી કોમ્પ્લીકેશન્સ નહીવત જેવા થાય છે. જેથી પ્રજાજનોએ ઉકત પઘ્ધતિ નો વધારેમાં વધારે લાભ લેવો જોઈએ. |
(પ) |
બે બાળકો પછી નસબંધી અપનાવનાર દંપતિને સરકારશ્રીનું ગ્રીનકાર્ડ વિના મુલ્યે મળે છે |